એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 10th September 2019

અમેરિકામાં શ્રી ક્રિષ્ના વૃંદાવનના ઉપક્રમે ગુરુ રાઘવેન્દ્ર સ્વામીનો ૩૪૮ મો આરાધના મહોત્સવ ઉજવાયોઃ ૧૬ ઓગસ્ટથી ૧૮ ઓગસ્ટ ર૦૧૯ દરમિયાન કરાયેલી ઉજવણી અંતર્ગત અભિષેક, પૂજા, પ્રસાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા

         એટલાન્ટાઃ  યુ.એસ.ના એટલાન્ટામાં આવેલા શ્રી ક્રિષ્ના વૃંદાવનના ઉપક્રમે ૧૬ થી ૧૮ ઓગષ્ટ ર૦૧૯ દરમિયાન ગુરૂ રાઘવેન્દ્ર સ્વામીના ૩૪૮ માં આરાધના મહોત્સવની ઉજવણી કરી હતી. જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા મંત્રોચાર, કલાસિકસ મ્યુઝીક તથા ડાન્સ પ્રોગ્રામ રજુ કરાયા હતા.

         આ પ્રસંગે ૧૭ ઓગ. ના રોજ અભિષેક, રંગપૂજા પ્રસાદ સહિતના આયોજનમાં પ૦૦ જેટલા ભકતો જોડાયા હતા. ગુરુ રાઘવેન્દ્ર સ્વામીના જીવન અંગે માહિતી આપવામાં આવી હતી. તથા તેઓ આજે પણ વૃંદાવનમાં હાજરા હજુર રહી ભકતોને માર્ગદર્શન આપતા હોવાનું જણાવાયું હતુ. જયાં તેમણે સમાધિ લીધી હતી.

         ત્રિદિવસીય વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

(10:07 pm IST)