પાકિસ્તાનમાં થતા હિન્દૂ યુવતીઓના અપહરણ અટકાવો : ફરજીયાત ધર્માન્તર કરાવી થતાં લગ્નો વિરુધ્ધ કેનેડા સ્થિત હિન્દુઓનો આક્રોશ
ઓટાવા : પાકિસ્તાનમાં થતા હિન્દૂ યુવતીઓના અપહરણ તથા ફરજીયાત ધર્માન્તર કરાવી કરાતા લગ્નો વિરુધ્ધ કેનેડામાં વસતા પાકિસ્તાનના સિંધ પ્રાંતના હિન્દુઓએ આક્રોશ વ્યક્ત કરતા દેખાવો શરૂ કર્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
કેનેડામાં આ બાબતે યોજાયેલા દેખાવો અંતર્ગત ઇમરાન ખાનની સરકાર દેશમાં અલ્પસંખ્યક છોકરીઓનું બળજબરીપૂર્વક થતું ધર્મ પરિવર્તન અટકાવે તેમજ અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષે હોળીના દિવસે પાકિસ્તાનના સિંધ પ્રાતમાં બે બાળકીઓનુ અપહરણ કરી લેવામાં આવ્યું હતું.બાદમાં જ્યારે તે મળી તો તેમનું ધર્મ પરિવર્તન થઇ ચૂક્યું હતું. ભારતે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયને એક ઓફિશ્યલ નોટ લખીને આ ઘટના પર ચિંતા જતાવી હતી.