એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 10th July 2018

UAEમાં ગેરકાયદે વસવાટના કારણે ફફડતા અને કેદી જેવું જીવન જીવતા ભારતીય મૂળના ૬૦ વર્ષીય મધુસુદનના પરિવારની વહારે દૂતાવાસ કચેરીઃ નવો પાસપોર્ટ કાઢી આપવાની તૈયારી બતાવીઃ કોમ્‍યુનીટી અગ્રણીઓએ નોકરી આપવાની તથા મદદરૂપ થવાની ઓફર કરીઃ ઇલેકટ્રોનિક તથા પ્રિન્‍ટ મિડીયામાં પ્રસિધ્‍ધ થયેલા અહેવાલનો હકારાત્‍મક પડઘો

UAE: UAEમાં ગેરકાયદે વસવાટના કારણે ઘરની બહાર નહીં નીકળી શકતા તથા ગમે ત્‍યારે ધરપકડ થવાના ભયથી ડરતા ભારતીય મૂળના ૬૦ વર્ષીય રોહિણી તથા પાંચ સંતાનો હિત કુલ ૭ જણાના પરિવાર વિષે વર્તમાનપત્રોમાં પ્રસિધ્‍ધ થયેલા અહેવાલના સકારાત્‍મક પડઘા પડયા છે.

આ અહેવાલના આધારે શ્‍ખ્‍ચ્‍ ખાતેની ભારતની દૂતાવાસ કચેરી તથા શ્રીલંકન કચેરીએ તેમને પાસપોર્ટ કાઢી આપવાની તૈયારી બતાવી છે. તેમજ અનેક કોમ્‍યુનીટી અગ્રણીઓએ તેમને નોકરીમાં રાખવાની તથા મદદરૂપ થવાની ઓફર કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:02 am IST)