શિકાગોના બોચાસણવાસી અક્ષર પુરુષોતમ મંદિરમાં કોંગ્રેસ વુમન તુલસી ગબ્બાર્ડની થનારી પધરામણી : તેમને મળવાનો તથા તેમની વાણીનેા લાભ લેવાનો અમુલ્ય અવસરઃ આ દિને રવિવારે વસંત પંચમીની થનારી ભવ્ય ઉજવણીઃ હરિભકતોને લાભ લેવા વિનંતી
(કપિલા શાહ દ્વારા) શિકાગો : શિકાગોના બોચાસણવાસી અક્ષર પુરુષોતમ સંસ્થાના સ્વામીનારાયણ મંદિરમાં ફેબ્રુઆરી માસની ૧૦ મી તારીખને રવિવારે બપોરે ર વાગ્યાથી ૩ વાગ્યાના સમય દરમ્યાન હાઉસના કોંગ્રેસ વુમન તુલસી ગબ્બાર્ડ પધારનાર છે. તેમને સાંભળવાનો આ સુવર્ણ અવસર છે. તો રસ ધરાવનારાઓને પધારવા માટે આગ્રહભર્યુ આમંત્રણ છે.
દિવસે વસંત પંચમીના દિવસની પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવનાર છે. આ દિવસે નિશકુલાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કે જેઓ ભગવાન સ્વામી નારાયણના પરમહંસો ગણવામાં આવે છે તે આ દિવસે જન્મયા હતા. વસંતપંચમી પણ શિક્ષાપત્રીના આગમન અને શાસ્ત્રી મહારાજનો જન્મ ભગવાન સ્વામી નારાયણના ત્રીજા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સ્વામી નારાયણ સ્થાપક છે.
આ વેળા સૂ઼દર ભજનો પણ રજુ કરવામાં આવશે તથા શિક્ષાપત્રી પર પ્રવચનો સાંભળવાનો આ સુઅવસર છે. તેમજ શાસ્ત્રીજી મહારાજના જીવન અને તેમણે કરેલા કાર્યોની ઉજવણી કરવા માટે સૌને પધારવા વિનૅતી છે.