એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 7th February 2019

''ધર્મ સંવાદ'': હિન્દુ હોવા બદલ ગૌરવનો અનુભવ કરાવતો કાર્યક્રમઃ યુ.એસ.માં સનાતન ધર્મ મંદિર નોર્વાક કેલિફોર્નિયા મુકામે ૧૩ ફેબ્રુ.૨૦૧૯ના રોજ કરાયેલું આયોજનઃ સ્વામી ચિદાનંદપૂરી ઇંગ્લીશમાં ઉદબોધન કરશે

નોર્વાકઃ હિન્દુ હોવા બદલ ગૌરવનો અનુભવ કરાવતો 'ધર્મ સંવાદ' યુ.એસ.માં સનાતન ધર્મ મંદિર, ૧૫૩૧૧ પાયોનિયર Blvd. નોર્વાક કેલિફોર્નિયા મુકામે યોજાનાર છે.

૧૩ ફેબ્રુ.૨૦૧૯ બુધવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે યોજાનારા આ ધર્મ સંવાદમાં સ્વામી ચિદાનંદપૂરી ઇંગ્લીશમાં ઉદબોધન કરશે. બાદમાં ગુરૂદક્ષિણા, આશિર્વાદ તથા ડિનરનું આયોજન કરાયું છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)