એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 6th February 2019

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં આવેલા હિન્દુ મંદિરમાં તોડફોડઃ પવિત્ર ગ્રંથોમાં આગ લગાડીઃ મૂર્તિઓને નુકશાન પહોંચાડ્યું: બદમાશોને તાત્કાલિક પકડી નશ્યત કરવા વડાપ્રધાન ઇમરાનખાનનો આદેશ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં ખૈરપૂર જીલ્લાના કુંબ શહેરમાં આવેલા એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી તેમાં ઘટના બહાર આવી છે. હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવી બદમાશો પલાયન થઇ ગયા છે. જેઓને તાત્કાલિક પકડી નક્કર કાર્યવાહી કરવા વડાપ્રધાન ઇમરાન ખાનએ હુકમ કર્યો છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે અન્ય ધર્મોની લાગણી દુભાવવાનું કુરાનમાં કયાંપ લખ્યુ નથી. હિન્દુઓએ આ ઘટનાથી નારાજગી દર્શાવી મંદિરોની સુરક્ષા કરવા માંગણી કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:46 pm IST)