ભારત દેશને વિદેશી હૂંડિયામણ પૂરું પાડવામાં માત્ર નિકાસ વ્યાપાર નહીં પરંતુ વિદેશોમાં વસતા ભારતીયોનું પણ મહત્વનું યોગદાન : 2017 ની સાલમાં અધધ... 68 અબજ ડોલર ભારતમાં ઠાલવ્યા
ન્યુદિલ્હી : ભારત દેશને વિદેશી હૂંડિયામણ પૂરું પાડવામાં માત્ર નિકાભારત દેશને વિદેશી હૂંડિયામણ પૂરું પાડવામાં માત્ર નિકાસ વ્યાપાર નહીં પરંતુ વિદેશોમાં વસતા ભારતીયોનું પણ મહત્વનું યોગદાનસ વ્યાપાર નહીં પરંતુ વિદેશોમાં વસતા ભારતીયોનું પણ મહત્વનું યોગદાન છે.જે મુજબ 2017 ની સાલમાં તેમણે અધધ... 68 અબજ ડોલર ભારતમાં ઠાલવ્યા હતા.ભારતમાં સૌથી વધારે પૈસા મિડલ ઈસ્ટના દેશોમાંથી આવે છે.જ્યાં ભારતીયો મોટી સંખ્યામાં કામ કરે છે.જોકે રકમની રીતે જોવામાં આવે તો 82 ટકા હિસ્સો દુનિયાના આઠ દેશોમાંથી આવે છે.વિદેશથી આવનારી રકમનો 60 ટકા જેટલો હિસ્સો પરિવારના ભરણ પોષણ પાછળ વપરાય છે.ભારતમાં વિદેશથી મોકલાતી રકમનો 59 ટકા હિસ્સો કેરલ , મહારાષ્ટ્ર ,કર્ણાટક અને તામિલનાડુ રાજ્યમાં મોકલાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.