એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 6th February 2019

યુ.એસ.સ્થિત પટેલ પ્રગતિ મંડળના પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી સુરેશભાઈ પી.પટેલના માતુશ્રી વિજયાબેન પ્રેમાભાઈ પટેલનું દુઃખદ અવસાન : વતન છાપર ગામ ગણદેવી વલસાડ મુકામે 3 ફેબ્રુના રોજ અંતિમ શ્વાસ લીધા : 80 વર્ષીય શ્રીમતી વિજયાબેન 2 પુત્રો ,તથા 6 પુત્રીઓ સહિતના વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ધામમાં સિધાવ્યા

યુ.એસ.: યુ.એસ.સ્થિત પટેલ પ્રગતિ મંડળના પાસ્ટ પ્રેસિડન્ટ તથા કોમ્યુનિટી અગ્રણી શ્રી સુરેશભાઈ પી.પટેલના માતુશ્રી વિજયાબેન પ્રેમાભાઈ પટેલનું 3 ફેબ્રુ 2019 ના રોજ વતન છાપર ગામ ગણદેવી વલસાડ મુકામે દુઃખદ અવસાન થયું છે. 80 વર્ષીય શ્રીમતી વિજયાબેન 2 પુત્રો ,તથા 6 પુત્રીઓ સહિતના વિશાળ  પરિવારને વિલાપ કરતા મૂકી ધામમાં સિધાવ્યા છે.

શ્રીમતી વિજયાબેનના લગ્ન માનનીય શિક્ષક શ્રી પ્રેમાભાઈ કીકાભાઈ પટેલ સાથે થયા હતા. તેમના પુત્રો શ્રી સુરેશભાઈ તથા તેમના પત્ની શ્રીમતી મંજુલાબેન એસ.પટેલ તથા શ્રી પ્રકાશભાઈ અને તેમના પત્ની શ્રીમતી પિન્કીબેન પી.પટેલ ,તેમજ પુત્રીઓ શ્રીમતી રમાબેન મુકુંદભાઈ પટેલ ,શ્રીમતી સવિતાબેન પરેશભાઈ પટેલ ,શ્રીમતી દક્ષાબેન ઝવેરભાઈ પટેલ ,શ્રીમતી ઉષાબેન પંકજભાઈ પટેલ ,શ્રીમતી તારાબેન પ્રમોદભાઈ પટેલ ,તથા શ્રીમતી અરુણાબેન દીપકભાઈ પટેલ સહિતના પરિવારજનો સદ્દગતની  સ્મશાનયાત્રા તથા અંતિમવિધિમાં  શામેલ થવા ભારત જવા રવાના થઇ ગયા છે.જેઓ 17 ફેબ્રુઆરી આસપાસ પરત ફરવાની ધારણા છે.

વિશેષ માહિતી માટે શ્રી પંકજભાઈ પટેલ (732) 579-7464 ,અથવા શ્રી દીપકભાઈ પટેલ (201) 936-4375 ,અથવા શ્રી પ્રમોદભાઈ પટેલ (732) 318-0322 ,અથવા શ્રી ઝવેરભાઈ પટેલનો કોન્ટેક નં (551) 580-2978 દ્વારા સંપર્ક સાધી શકાશે ઉપરાંત ભારતમાં શ્રી સુરેશભાઈ પટેલનો પણ તેમના વ્હોટ્સ એપ નં (917) 709-8603 દ્વારા સંપર્ક સાધી શકાશે

સદગતના પરમપવિત્ર આત્માની શાંતિ માટે પટેલ પ્રગતિ મંડળ વતી હોદેદારો પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે. તથા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવે છે.

 

(12:23 pm IST)