એન. આર. આઈ. સમાચાર
News of Monday, 9th September 2019

‘‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયલાલ કી’’: અમેરિકાના કેલિફોર્નિયામાં ર૩ તથા ર૪ ઓગ.ર૦૧૯ દરમિયાન ભારે ભાવભેર જન્‍માષ્‍ટની ઉત્‍સવ ઉજવાયો : રાધાક્રિશ્‍્ન મંદિર નોર્વાક, લક્ષ્‍મીનારાયણ મંદિર રિવરસાઇડ, શિવા કમલેશ્‍વરી ટેમ્‍પલ, નંદ શિવ દુર્ગામંદિર સહિતના સ્‍થળોઅે કાનુડાના આગમનને વધાવાયું

કેલિફોર્નિયા : ‘‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’’ અમેરિકામાં સાઉધર્ન કેલિફોર્નિયા વિસ્‍તારમાં વસતા ભરતીયોઅે ઓગ.ર૦૧૯માં રોજ ભારે ઉમંગપૂર્વક જન્‍માષ્‍ટમી તહેવાર ઉજવ્‍યો હતો.

ઉજવણી અંતર્ગત ર૪ ઓગ.ના રોજ મંદિર નોર્વાક મુકામે કાનુડાના આગમનને વધાવતા કિર્તન તજનોની રમઝટ સાથે ઉજવાયેલા કૃષ્‍ણ જન્‍મા ઉત્‍સવમાં ૪૦૦ ઉપરાંત ભારતીયો ઉમટી પડયા હતા તથા બાલમુકુંદને ટોપલામાં લઇને આવતા વાસુદેવના દૃશ્‍યો ભજવાયા હતાં.

લક્ષ્‍મીનારાયણ મંદિર રિવર સાઇડ મુકામે ર૩ ઓગ. ના રોજ કૃષ્‍ણ જન્‍મ ઉજવાયો હતો. જે અંતર્ગત ભગવાનને અભિષેક તથા પૂજા કરતા હતા તથા બાળકોઅે કૃષ્‍ણલીલા નાટક ભજવ્‍યું હતું. આ તકે ૪૦૦ ઉપરાંત ભકતો હાજર રહ્યા હતાં.

આ ઉપરાંત કોરરાર મેટા મુકામે શ્રી શિવા કમલેશ્‍વરી ટેમ્‍પલ તથા મોન્‍ટેબેલ્‍લો ખાતે શ્રી નંદ શિવ દુર્ગા મંદિર મુકામે ભાવભેર જન્‍માષ્‍ટમી ઉત્‍સવ ઉજવાયો હતો

(9:47 pm IST)