News of Friday, 6th September 2019
પાકિસ્તાનમાં આવેલા પ્રાચીન હિંગળાજ માતાજીના મંદિરનો જીર્ણોધ્ધાર કરાશે : બલુચિસ્તાનમાં હિંગોળ નદીના કાંઠે પહાડની ગુફામાં આવેલું આ મંદિર રાષ્ટ્રીય સ્મારક તથા હિન્દુઓનું તીર્થ સ્થાન હોવાનું મંતવ્ય
બલુચિસ્તાન : પાકિસ્તાનના અશાંત ગણાતા એવા બલુચિસ્તાનમાં હિંગોળ નદીના કાંઠે પહાડની ગુફામાં આવેલા હિંગળાજ માતાજીના મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનો પ્રાંતીય સરકારે નિર્ણય કર્યો છે.
રાષ્ટ્રીય સ્મારક ગણાતા આ પ્રાચીન મંદિરે ખાસ કરીને એપ્રિલ માસમાં વિશ્વભરમાંથી વિશાળ સંખ્યામાં હિંદુઓ આવે છે.તેની જાળવણી માટે ઉપરોકત નિર્ણય લેવાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:01 pm IST)