કેનેડામાં ૧૯ વર્ષીય શીખ યુવાન ગગનદીપસિંહ ઉપર ગોળીબારઃ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
ટોરોન્ટોઃ કેનેડામાં ૧૯ વર્ષીય શીખ યુવાન ગગનદીપસિંહ ઘાલીવાલ ઉપર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરી તેની હત્યા કરી છે. પોલીસ ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગગનદીપ સાથે રહેલા તેમનો પરિચિત પણ ઇજાગ્રસ્ત થયો છે.
પ્રાપ્ત માહિતિ મુજબ પ ઓગ.૨૦૧૮ રવિવારના રોજ ગગનદીપ લગ્ન પ્રસંગમાંથી પરત ફરી કોઇ સંબંધ સાથે વાત કરવા નિવાસ સ્થાનમાંથી ગેરેજમાં આવ્યો હતો. તે સમયે તેના ઉપર ગોળીબાર થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાયો હતો. જયાં થોડી વારમાં જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. તેની સાથે રહેલા પરિચિત પણ ઇજાગ્રસ્ત થયા હોવાથી તેમની સારવાર ચાલુ છે.
ગોળીબાર થવાનું કારણ જાણી શકાયુ નથી. પરંતુ પૂર્વયોજીત કાવતરૂ હોવાની શંકાના આધારે પોલીસ તપાસ ચાલુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.