પાકિસ્તાનમાં હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છેઃ ભારત ગયેલા હિન્દુઓને પરત ફરવામાં કોઇ જોખમ નથીઃ પાકિસ્તાનની સંસદમાં જનરલ સીટ ઉપરથી ચૂંટાઇ આવનાર સૌપ્રથમ હિન્દુ સાંસદ શ્રી મહેશ મલાનીનું મંતવ્ય
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં જનરલ સીટ ઉપરથી ચૂંટાઇ આવેલા પી.પી.પી.પાર્ટીના હિન્દુ ઉમેદવાર શ્રી મહેશ મલાણીએ સમાચાર સૂત્ર સમક્ષ પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં હિન્દુ તથા લઘુમતિ કોમ વિષે મિડીયા દ્વારા દર્શાવાતી પરિસ્થિતિ હકીકતે પૂર્ણરૂપે સાચી નથી. અહિંયા હવે હિન્દુઓ માટે પૂરેપૂરૂ વાતાવરણ છે.
તેમણે ઉમેર્યુ હતું કે હું લઘુમતિ માટેની અનામત સીટ ઉપરથી ચૂંટાવાને બદલે જનરલ સીટ ઉપરથી ચૂંટાઇ આવ્યો તે બાબત આ હકીકતની પ્રતિતિ સમાન છે તેમણે પાકિસ્તાનથી ભારત ગયેલા હિન્દુઓને ફરીથી પાકિસ્તાનમાં આવી જવા પણ અનુરોધ કર્યો હતો.
તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો સારા બને તેવી ઇચ્છા વ્યકત કરી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.