કેનેડામાં શીખ મહિલાની હત્યા: 40 વર્ષીય શીખ મહિલાને તેના ઘરમાં ઘૂસીને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી :શંકાના આધારે પતિની ધરપકડ બાદ છુટકારો
કેનેડા : કેનેડામાં એક 40 વર્ષીય શીખ મહિલાને તેના ઘરમાં ઘૂસીને ઘણી વખત છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી અને તેના પતિની હત્યાની શંકામાં ધરપકડ કરવામાં આવી છે. કેનેડા પોલીસે આ જાણકારી આપી છે. સીબીસી ન્યૂઝે શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે, બ્રિટિશ કોલંબિયાના સરે ખાતેના તેના ઘરે ઘણી વખત છરા માર્યા બાદ બુધવારે રાત્રે હરપ્રીત કૌરની હત્યા કરવામાં આવી હતી.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) એ જણાવ્યું હતું કે તેને બુધવારે રાત્રે 9:30 વાગ્યાના થોડા સમય પહેલા ન્યુટાઉનના રહેવાસી તરફથી છરીના હુમલાની જાણ કરવામાં આવી હતી. સમાચાર અનુસાર, જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે મહિલાને ગંભીર ઈજાઓ થઈ છે અને તેઓએ તેને હોસ્પિટલમાં દાખલ કરી. પરંતુ ગંભીર ઇજાઓને કારણે મહિલાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. કૌરના 40 વર્ષીય પતિની પણ શંકાના આધારે સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.