News of Thursday, 10th October 2019
અમેરિકાના વોશીંગ્ટનમાં ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના ૭૫મા જન્મ દિન નિમિતે વ્યાખ્યાન માળા યોજાઇઃ રાજયસભાના પૂર્વ સાંસદ શ્રી મણીશંકર ઐયરએ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નીતિ રીતિઓની ઝાટકણી કરીઃ સ્વ રાજીવ ગાંધીને ભારતમાં શાંતિ સ્થાપનાર સફળ વડાપ્રધાન ગણાવ્યાં
વોશીંગ્ટનઃ અમેરિકામાં વોશીંગ્ટન મુકામે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના જીવન વિષે ૧૭ સપ્ટેં.૨૦૧૯ના રોજ યોજાયેલી વ્યાખ્યાન માળામાં ભારતની રાજયસભાના પૂર્વ સાંસદ શ્રી મણીશંકર ઐયરએ તેમના ઓકટો.૧૯૮૪ થી ડીસેં.૧૯૮૯ દરમિયાનના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તથા તેઓ ભારતમાં શાંતિ સ્થાપવામાં સફળ થયા હોવાનું જણાવ્યું હતું.
તેમણે વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નીતિ જ્ઞાતિઓની ઝાટકણી કાઢી હતી. તેમજ કાશ્મીર પ્રશ્નની છણાંવટ પણ કરી હતી.
(9:07 pm IST)