એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 8th October 2019

અમેરિકામાં પિસ્કાટાવે ન્યુજર્સી મુકામે આવેલા ગાયત્રી મંદિરમાં નવરાત્રિ ઉત્સવ ઉજવાયોઃ દરરોજ ૧૫૦૦ જેટલા ભાવિકોએ રાસ ગરબા સાથે માતાજીની ઉપાસના કરીઃ ૬ ઓકટો.ના રોજ હવન અષ્ટમી નિમિતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૨૦૦ જેટલા ભાવિકોએ આહૂતિ આપી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રી રામશર્મા આચાર્યજી અને  માતાશ્રી ભગવતી દેવીના પ્રેરણા, સૂક્ષ્મ માર્ગદર્શન દ્વારા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રધ્ધેય શ્રી ડો.પ્રણવ પંડ્યાજી અને શ્રધ્ધેયા શૈલ જીજીના માર્ગદર્શન થકી ન્યુજર્સી સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર (GCC) Piscataway શહેરની મધ્યમાં હિંદુ સંસ્કૃતીની અનેકવિધ  સેવાકીય પ્રવૃતીઓ હાથ ધરી રહેલ છે ઓકટોબર ૬ રવિવારે આઠમ-યજ્ઞ મિનીતે ગાયત્રી મંદિર આયોજિત ગરબામાં ચાલુ દિવસોમાં સતત નવ દિવસ સુધી ખૂબજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ મનમૂકીને મંદિરના પરિસરમા સતત બે તાલી, ત્રણ તાલી ગરબામાં તરબોળ બન્યા હતા. મંદિરના ગરબાના આયોજન માં પ્રવેશ ફી રાખવામાં આવતી નથી. રવિવારના સાંજનાં ૩ કલાકે માતાજીના આઠમની રાત્રિ નિમીતે પાંચ કુંડ બનાવીને યજ્ઞ-હવનનું આયોજન હાથ ધરેલ જેમાં ૧૨૦૦ જેટલા ભાવિકો દ્વારા યજ્ઞમાં આહુતિ અર્પણ થઇ હતી. આઠમ-યજ્ઞમાં ગાયત્રી મંદિરનાં પ્રજ્ઞાપુત્રી ટીનાબેન (વત્સલાબેન) મિસ્ત્રી દ્વારા માતાજીના યજ્ઞ-વૈદીક મંત્રોચ્ચાર વિધી-ગાન કરવામાં આવેલ. ગાયત્રી સેન્ટરના યજ્ઞ કાર્યક્રમ, યજ્ઞ માટેની સાંયોગિક સામગ્રી,હવન-કુંડ,હોમ સામગ્રીની સંપૂર્ણ વ્યવસ્થા મંદિર તરફથી યજ્ઞ શાળામાં કરવામાં આવી હતી. મંદિર તરફથી ઉપસ્થિત તમામ માટે કાર-પાર્કીગની વ્યવસ્થા સાથે Police Secrity રાખેલ, જેથી બધાને સુગમતા બની રહે તેવો ઉમદા આશય સાથે નવરાત્રિની બધીજ રાત્રિએ ૧૫૦૦ જેટલા ભાવિકોની વ્યવસ્થા સાથે નવરાત્રિ-૨૦૧૯નું ભવ્ય આયોજન સફળ બનેલા ૭૦ જેટલા સ્વયંસેવકોની ટીમનું આયોજન દાદ માંગીલે તેવી વિસ્મરણીય બની રહેશે. તેવું શ્રી તુષાર વી.પટેલની યાદી જણાવે છે.

(8:32 pm IST)