એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 10th May 2018

સવાયા ગુજરાતી શ્રી સુરેશભાઇ જાનીને અકિલા પરિવારે બે મીનીટ મૌન પાળીને અર્પી અંજલી

રાજકોટઃ ‘અકિલા’ અને ગણાત્રા પરિવાર સાથે પારિવારીક સંબંધ ધરાવતા શ્રી સુરેશભાઇ જાનીનું અમેરિકા ખાતે તા.૩ના રોજ દુઃખદ અવસાન થતા ‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રા તથા ‘અકિલા’ ઇન્‍ટરનેટ એડીશનના ચીફ એક્ઝીક્યુટીવ એડીટર શ્રી નીમીષભાઇ ગણાત્રા તથા સમગ્ર ‘અકિલા’ પરિવારે બે મીનીટ મૌન પાળી શ્રી સુરેશભાઇ જાનીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

શ્રી સુરેશભાઇ જાનીના ધર્મપત્ની શ્રીમતી દિપ્તીબેન જાની વર્ષોથી અમેરિકામાં ‘અકિલા’ના પ્રતિનિધી તરીકે કાર્યવન્તીત છે. સુરેશભાઇએ તેમના પરિવારમાં ધર્મપત્ની દિપ્તીબેન તથા પુત્ર અમિતને મુકીને અનંતની વાટ પકડી છે. આ સવાયા ગુજરાતીને ‘અકિલા’ પરિવારે હૃદયથી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. ૐ શાંતી...

 

(8:42 pm IST)