એન. આર. આઈ. સમાચાર
News of Friday, 8th November 2019

ભારત સહિતના દેશોમાંથી બ્રિટન આવવા ઇચ્છુક તબીબો માટે વિઝા ફી અડધી કરાશે : વિઝા અરજીનો તાત્કાલિક નિકાલ કરાશે : યુ.કે.હોમ સેક્રેટરી ભારતીય મૂળના મહિલા સુશ્રી પ્રીતિ પટેલ

લંડન : બ્રિટનમાં 12 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને યુ.કે.હોમ સેક્રેટરી ભારતીય મૂળના મહિલા સુશ્રી પ્રીતિ પટેલએ જણાવ્યું હતું કે જો તેઓની કોન્ઝર્વેટીવ પાર્ટી ફરીથી સત્તા ઉપર આવશે તો  ભારત સહિતના દેશોમાંથી બ્રિટન આવવા ઇચ્છુક તબીબો માટે વિઝા ફી અડધી કરાશે તેમજ  વિઝા અરજીનો તાત્કાલિક નિકાલ કરાશે જેનો હેતુ બ્રિટનમાં તબીબોની તંગી નિવારવાનો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:10 pm IST)