એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 7th November 2019

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી નમ્રતા ચાંદનીના મોત અંગે ચોંકાવનારો ખુલાસોઃ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ મૃત્યુ પહેલા દુષ્કર્મ કરાયું હતું.: ડી.એન.એ.ટેસ્ટ મુજબ વસ્ત્રો ઉપરથી પુરૂષના વીર્યના ડાઘ પણ મળી આવ્યા હતાઃ શ્વાસ રૃંધાવાથી મોત થયું હતું

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની ડેન્ટલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હિન્દુ યુવતિ નમ્રતાકુમારી ચાંદનીના મોત મામલે ચોંકાવનારો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો છે. ચાંદકા મેડીકલ કોલેજ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા પોસ્ટ પોર્ટમ રિપોર્ટ મુજબ યુવતિ ઉપર તેની હત્યા કરતા પહેલા દુષ્કર્મ કરાયું હતું. તથા શ્વાસ રંધાવાથી તેનું મોત નિપજ્યુ હતું. તેની ગરદન ઉપર પણ ઘાવના નિશઆન જોવા મળ્યા હતા.

તેથી થઇ રહેલા અનુમાન મુજબ કાં તો ગળુ ઘોટીને તેનું મોત નિપજાવાયુ હતું અથવા તો તેને ગળાફાંસો અપાયો હોઇ શકે. ડી.એન.એ ટેસ્ટમાં તેના વસ્ત્રો ઉપર પુરૂષના વીર્યના નિશાન પણ જોવા મળ્યા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ૧૬ સપ્ટેં.ના રોજ નમ્રતા તેના હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકેલી મળી આવી હતી.

(7:48 pm IST)