News of Thursday, 7th November 2019
કરતારપુર કોરિડોર : ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતિ ઉજવવાપાકિસ્તાન જવા ઇચ્છુક ભારતીયો માટે પાસપોર્ટ જરૂરી : યાત્રિકો માટે વિઝા કે પાસપોર્ટની જરૂર નથી તેવા પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનના આદેશને સેનાએ પલટાવ્યો
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનએ હજુ થોડા દિવસ પહેલા જ જાહેર કર્યું હતું કે ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતિ ઉજવવા કરતારપુર જતા યાત્રિકો માટે વિઝા કે પાસપોર્ટની જરૂર નથી માત્ર અધિકૃત ઓળખપત્ર આપવાનું રહેશે પરંતુ પાકિસ્તાની સેનાએ તેમના ઉપરોક્ત વિધાનના ઉલ્લંઘન સમાન આદેશ કર્યો છે.જે મુજબ યાત્રિકો માટે પાસપોર્ટ જરૂરી છે.
બંને વિરોધાભાસી નિવેદનો વચ્ચે ભારત સરકારે સ્પષ્ટતા માંગી છે.ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બરના રોજ ઇમરાનખાન કરતારપુર કોરિડોરનું ઉદ્ધઘાટ્ન કરશે
(1:49 pm IST)