એન. આર. આઈ. સમાચાર
News of Friday, 8th June 2018

કેરળના મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપનાર દુબઇના NRI ને નોકરીમાંથી પાણીચું : ફેસબુક મીડિયાના માધ્યમથી શરાબના નશામાં આવું કૃત્ય કર્યાની કબૂલાત સાથે માફી માંગી

દુબઇ : કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયનને ફેસબુક વીડિયો માધ્યમ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપનાર દુબઇ સ્થિત ભારતીય મૂળના કર્મચારી કૃષ્ણકુમાર એસ.એન.નાયરને તેની કંપનીના માલિકોએ નોકરીમાંથી પાણીચું પકડાવી દીધુ છે.

દુબઇની એક કન્સ્ટ્રકશન કંપનીમાં સિનીયર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા કૃષ્ણકુમારે ૪ મિનીટના વીડિયોમાં પોતે RSS નો પૂર્વ સમર્થક હોવાનું જણાવી, નોકરીમાંથી રાજીનામું દઇ, ત્રણ દિવસમાં કેરળ આવી, ત્યાં બે દિવસ રોકાઇને મુખ્યમંત્રીની હત્યા કરીશ તેવી ધમકી ફેસબુકના માધ્યમ દ્વારા આપતા કંપનીના માલિકોએ તેને નોકરીમાંથી છુટો કરી દેતા તેણે માફી માંગી હતી. તથા શરાબના નશામાં આવુ કર્યાની કબુલાત કરી કેરળના મુખ્યમંત્રી, તથા નેતાઓ, તેમજ પ્રજ્જનોની માફી માંગી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)