એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 7th July 2021

' સત શ્રી અકાલ ' : શીખ પાઘડી પહેરી સિંગાપોરના પ્રાઈમ મિનિસ્ટરે ગુરુદ્વારાનું ઉદઘાટન કર્યું


સિંગાપોર : સિંગાપોરના પ્રાઈમ મિનિસ્ટર લી સીન લૂંગે શીખ પાઘડી પહેરી લોકોને અચંબામાં મૂકી દીધા હતા. તેઓ શીખ ગુરુદ્વારાનું ઉદઘાટન કરવા ગયા ત્યારે સફેદ કલરની પાઘડી પહેરી હતી.એટલું જ નહીં ઉપસ્થિત સર્વે શીખોને ' સત શ્રી અકાલ ' બોલી વધાઈ આપી હતી.

આ તકે ઉદબોધન કરતા પ્રાઈમ મિનિસ્ટર લી સીન લૂંગે જણાવ્યું હતું કે સિંગાપોરમાં વસતા શીખોએ કોવિદ -19 ના સંજોગોમાં કોઈપણ નાત જાતના ભેદભાવ વગર લોકોની સેવા કરી છે.તે બદલ દેશ તેમનો આભારી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(11:18 am IST)