એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 4th December 2019

સુદાનમાં આવેલી સિરામિક ફેકટરીમાં આગઃ ૧૮ ભારતીયો સહિત ૨૩ લોકોના મોત

સુદાનઃ સુદાનના પાટનગર ખાર્તુમમાં આવેલી સિરામિક ફેકટરીમાં બ્લાસ્ટ થતાં ૧૮ ભારતીયો સહિત ૨૩ લોકોના મોત નિપજયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સુદાન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા વિશેષ વિગત મેળવાઇ રહી છે. આ ઘટનાથી ૧૩૦ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળે છે. તાત્કાલિક સારવાર તથા રાહત માટે ઇમરજન્સી નંબર અપાયા છે.

(8:35 pm IST)