બિહારના કટિહારમાં મોટી બોટ દુર્ઘટનાઃ 40 લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી:ત્રણ લોકોના મૃતદેહ મળ્યા
બોટમાં બંગાળના બાજિતપુરથી બિહરમાં ડમડોલિયા આવતી હતી: રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
બિહારના કટિહારમાં સાંજે એક મોટી બોટ દુર્ઘટના સર્જાઇ છે મહાનંદા નદીમાં 40 લોકોથી ભરેલી એક બોટ પલટી ગઇ હતી આ ઘટનામાં 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
મહાનંદાની સહાયક નદીમાં આ દુર્ઘટના બની છે. બોટમાં 40 લોકો સવાર હતા. બોટ પશ્વિમ બંગાળના બાજિતપુરથી બિહારના આબાદપુર વિસ્તારના ડમડોલિયા આવી રહી હતી. ડમડોલિયા અને બાજિતપુર વચ્ચે આ દુર્ઘટના બની છે.
અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા હોવાની માહિતી છે. બિહારના બારસોઈ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે એસડીએમ અને ડીએમ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે
આ દુર્ઘટના સાંજે 7 વાગ્યાની છે જેમાં મુસાફરોથી ભરેલી બોટ દુર્ઘટનાનો શિકાર બની છે. બોટ બંગાળના જગન્નાથપુર ઘાટથી રવાના થઇ હતી.