સમૂહ શ્રાદ્ધ ઉત્સવ :યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરામસ ન્યુજર્સી મુકામે 7 ઓક્ટો.રવિવારના રોજ સમૂહ શ્રાદ્ધ ઉત્સવ ઉજવાશે : ધૂન,ભજન,કથા,આરતી,તેમજ મહાપ્રસાદનો લાભ લેવા પાઠવાયેલું આમંત્રણ
(દિપ્તીબેન જાની દ્વારા) : ન્યુજર્સી: યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,205,સ્પ્રિંગ વેલ્લી રોડ,પરામસ ન્યુજર્સી મુકામે 7 ઓક્ટો.રવિવારના રોજ સમૂહ શ્રાદ્ધ ઉત્સવનું આયોજન કરાયું છે.ઉત્સવ અંતર્ગત બપોરે 4-30 કલાકે ધૂન તથા કીર્તન ભક્તિ,બાદ 5 વાગ્યે કથાનું આયોજન કરાયું છે.જેના વક્તા તરીકે પૂજ્ય કૃષ્ણસ્વરૂપ સ્વામી બિરાજશે.તથા કથામૃતનો લાભ આપશે.6 વાગ્યે થાળ ધરાશે.બાદમાં 6-15 કલાકે મહાનિરંજન આરતી થશે.બાદમાં 6-45 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
શ્રાદ્ધ ઉત્સવ મહાપ્રસાદ મેનુમાં ગુલાબ જાંબુ,અડદિયાનો લચકો,ડ્રાંઈફ્રુટ હલવો,સહીત વિવિધ વાનગીઓનું આયોજન કરાયું છે.સર્વે ભક્તોને સપરિવાર મિત્રમંડળ સહીત પધારવા આમંત્રણ પાઠવાયું છે.મંદિરનો કોન્ટેક નં (201)882-5815 તથા ઇમેઇલ nj@guruku.us છે.તેમ જણાવાયું છે.