સોમવારે ડો. વલ્લભભાઈ કથીરિયા અને ડો. પ્રદીપભાઈ કણસાગરાનું અમેરિકામાં કરાશે સન્માન : કનેક્ટીકટ ખાતે સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરિકા સહિતની સંસ્થાઓ - ભારતીય સમુદાયો સન્માંનશે
યુએસએ (કનેક્ટીકટ ) : અમેરિકાના કનેક્ટીકટ ખાતે તા.2ને સોમવારે ડો. વલ્લભભાઈ કથીરિયા અને ડો. પ્રદીપભાઈ કણસાગરાનું સન્માન કરાશે. સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરિકા, ગુજરાતી સમાજ ઇન્ડિયા એસો, વલ્લભધ્મ હવેલી સહીત જુદા જુદા ભારતીય સમુદાય દ્વારા કનેક્ટીકટ ખાતે ડો. કથીરિયા અને ડો. કણસાગરાનું ભવ્ય સન્માન કરવામાં આવશે.
ડો. કથીરિયા હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓ AAPI ના મહાસંમેલનમાં કિ-નોટ સ્પીકર તરીકે હાજરી આપનાર છે. તેઓની સાથે ડો. પ્રદીપભાઈ કણસાગરા પણ સામેલ છે. અમેરિકાના ટૂંકા પ્રવાસ દરમિયાન તા. 2 જુલાઈને સોમવારે, યુએસએના કનેક્ટીકટ ખાતે ભારતીય સમુદાય મારફત્ત યોજાયેલ કાર્યક્રમમાં માર્ગદર્શન તેઓ આપશે.
આ કાર્યક્રમમાં ડો. કિશોરભાઈ નાર (પેન્સિલવેનિયા ) તથા ડો. પ્રસાદ શ્રીનિવાસન (કનેક્ટીકટ સ્ટેટ રિપ્રેઝેન્ટિવ), શ્રી મુકેશ દેસાઈ (કોર્પોરેટર રોકીહિલ ટાઉન ), શ્રી સંજય કાલાવાડિયા, વિજય ફળદુ (ઉદ્યોગપતિ ), શ્રી ભરત રાણા , શ્રી ભીમા મોઢવાડીયા(ઉદ્યોગપતિ ), શ્રી દિનેશ વાછાણી (વલ્લભ ધામ હવેલી ), શ્રી રાજીવ દેસાઈ વગેરે આગેવાનો કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરિકાના પ્રમુખ શ્રી ભાસ્કર સુરેજાએ કર્યું છે.