News of Tuesday, 5th June 2018
UAE, સાઉદી અરેબિયા, તથા કુવૈતમાં કેરળથી આયાત થતા ઉત્પાદનો ઉપર પ્રતિબંધઃ નિપાહ વાયરસને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય
રિયાદઃ કેરાળામાં નિપાહ વાયરસે મચાવેલા હાહાકારથી થઇ રહેલા મોતને ધ્યાને લઇ સાઉદી આરબ સંયુક્ત આરબ અમિરાત (UAE), તથા કુવૈતએ ભારતના કેરળમાંથી આયાત થતા ફળો તથા શાકભાજી ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે કેરળમાં નિપાહ વાયરસના કારણે અત્યાર સુધીમાં ૧૬ લોકોનું મોત થઇ ચૂક્યુ છે.
(9:38 pm IST)