એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 3rd June 2018

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર ત્રીજો ગ્રેનેડ હુમલો : ત્રણ જવાનો ઘાયલ

 

જમ્મુ કાશ્મીરમાં ગ્રેનેડ હૂમલા વધી રહ્યા છે શ્રીનગરમાં શનિવારે સીઆરપીએફનાં વાહન પર ગ્રેનેડ વડે હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જવાનો ઉપરાંત એક નાગરિક પણ ઘાયલ થઇ ગયો હતો. ત્યાર બાદ અફરીવર આ હૂમલો શ્રીનગરનાં ફતહ કદાલ વિસ્તારમાં થયો હતો. પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ સીઆરપીએફની 82 બટાલિયનને ગ્રેનેડથી નિશાન બનાવી હતી. જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(10:20 am IST)