એન. આર. આઈ. સમાચાર
News of Monday, 30th September 2019

''યશુમતિ મૈયાસે બોલે નંદલાલા'': યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા શ્રી રામકબીર મંદિરમાં ભારતીય મૂળના બાળકોએ ભજનની રમઝટ બોલાવીઃ સૌપ્રથમવાર યોજાયેલ બાળકો માટેના ભજન સંમેલનને અભૂતપૂર્વ આવકાર

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કેલિફોર્નિયા મુકામે સૌપ્રથમવાર શ્રીરામકબીર મંદિરમાં ૧૪ સપ્ટેં.૨૦૧૯ના રોજ બાળકો માટેનું ભજન સંમેલન યોજાઇ ગયું જેમાં ૩૦ બાળકોએ તેમના માતા-પિતા તેમજ વડીલો સહિત ૧૦૦ની સંખ્યામાં હાજર લોકો સમક્ષ ભજનો ગાયા હતા.

૪ વર્ષની ઉંમર સહિતના ૩૦ બાળકોએ તેમની કાલીઘેલી ભાષામાં ગાયેલા ગીતોમાં ''યશુમતી મૈયાસે બોલે નંદલાલા''  એક જ દે ચિનગારી ''રઘુપતિ રાઘવ રાજારામ'' સહિતના ગીતો ગાયા હતા. જેને સંગીતકારોએ તબલા તથા પેટી સાથે સાથ આપ્યો હતો.

(8:55 pm IST)