News of Saturday, 4th January 2020
પાકિસ્તાનમાં આવેલું શીખોનું તીર્થધામ નાનકાના સાહેબ બિલકુલ સુરક્ષિત : તીર્થધામ નજીક 2 મુસ્લિમ જૂથો વચ્ચે અથડામણ થઇ હતી : ગુરુદ્વારાને કોઈ નુકશાન થયું નથી : પાકિસ્તાન સરકારનો ખુલાસો
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં આવેલા શીખોના તીર્થધામ નાનકાના સાહેબ ઉપર પથ્થરમારો થયાના અહેવાલો મીડિયામાં પ્રસિધ્ધ થતા વિશ્વભરમાં થઇ રહેલા પ્રચંડ વિરોધ વચ્ચે પાકિસ્તાન સરકારે રાત્રે સત્તાવાર જાહેરાત કરી આ સ્થાન બિલકુલ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.તથા ત્યાં 2 મુસ્લિમ જૂથો વચ્ચે અથડામણ થઇ હતી તેમ જણાવ્યું છે.નાનકાના સાહેબને કોઈ નુકશાન થયું નથી તેમ ઉમેર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(1:15 pm IST)