પૂર્વ પીએમ મનમોહન સિંહે પાકિસ્તાનને મારી લપડાક: કરતારપુર કોરિડોરનાં ઉદ્ધાટનનું આમંત્રણ ઠુકરાવી દીધું
નવી દિલ્હી : કરતારપુર કોરિડોરનાં ઉદ્ધાટન પ્રસંગે પાકિસ્તાન તરફથી મળેલું આમંત્રણ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે ઠુકરાવી દીધાનાં અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ ડો. મનમોહન સિંહને કરતાપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં શામિલ થવા માટે નિમંત્રણ મોકલ્યું હતું. ડો. મનમોહનસિંહના નજીકના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, જો કોઈપણ વિદેશી નિમંત્રણ સરકારી સ્તર પર મળે છે તો, તેના પર અમે વિદેશ મંત્રાલયથી સલાહ લઈએ છીએ કે નિમંત્રણ સ્વીકારવું કે નહી.
કોંગ્રેસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમે હંમેશા વિદેશ મંત્રાલયની સલાહ માનીએ છીએ. અત્યાર સુધી કોઈપણ પ્રકારનું નિમંત્રણ અમને નથી મળ્યું. સુત્રોએ દાવો કર્યો છે કે, પાકિસ્તાન દ્વારા કરતારપુર કોરિડોર કાર્યક્રમમાં પૂર્વ પીએમને આપેલા નિમંત્રણનો સ્વીકાર નહી કરે. દેશહિત સર્વોપરી છે.