News of Monday, 3rd August 2020
ઓમાનમાં કોરોના વાઇરસનો હાહાકાર : છેલ્લા 3 મહિનામાં 50 હજાર ઉપરાંત ભારતીયો વતનમાં પરત આવતા રહ્યા
દુબઇ : ઓમાનમાં મે મહિનાથી શરૂ થયેલા કોરોના વાઇરસના કહેરને કારણે છેલ્લા 3 મહિનામાં એટલેકે 31 જુલાઈ સુધીમાં 50 હજાર ઉપરાંત ભારતીયો વતનમાં પરત આવતા રહ્યા છે.જે પૈકી 35 હજાર ભારતીયો ચાર્ટર ફ્લાઇટ દ્વારા ભારત આવી ગયા હતા.જયારે 17 હજાર જેટલા ભારતીયો વંદે ભારત મિશનની 97 જેટલી ફ્લાઇટ દ્વારા ભારત આવતા રહ્યા હતા.
ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસના અધિકાર શ્રી અનુજ સ્વરૂપે જણાવ્યું હતું કે 9 મે થી શરૂ કરાયેલ વંદે ભારત મિશન હેઠળ 105 ફ્લાઈટ્સ દ્વારા વિદેશોમાંથી
હજારો ભારતીયો વતનમાં આવ્યા હતા.
(7:01 pm IST)