એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 3rd January 2019

માર્ચ 2019 સુધીમાં બેંકોનું 1.5 લાખ કરોડનું NPA વસુલ થઇ જશે : NCLT દ્વારા આવી જનારા ચુકાદાઓના આધારે જપ્તી કરી બેંકોનું જંગી લેણું વસુલ કરાશે : ડીસે 2018 સુધીમાં 80 હજાર કરોડ રૂપિયા વસુલ થઇ ચુક્યા છે

ન્યુદિલ્હી : ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે NCLT દ્વારા આવી ચૂકેલા ચુકાદાઓના આધારે અત્યાર સુધીમાં બેંકોનું ડૂબેલું મનાતું 80 હજાર કરોડ રૂપિયાનું લેણું વસુલ થઇ શક્યું છે.તેમજ હજુ પણ જે ચુકાદાઓ બાકી છે તેના આધારે 70 હજાર કરોડ રૂપિયા જપ્તી વોરંટથી વસુલ કરશે પરિણામે માર્ચ 2019 સુધીમાં બેંકોનું કુલ 1.5 લાખ કરોડનું NPA વસુલ થઇ જશે

(8:00 pm IST)