News of Saturday, 31st October 2020
મહારાજા રણજિતસિંહના પત્ની જિન્દન કૌરના આભૂષણોની લંડનમાં લીલામી : રત્નજડિત સોનાના હારના 60 લાખ રૂપિયા ઉપજ્યાં
લંડન : મહારાજા રણજિતસિંહના છેલ્લા પત્ની જિન્દન કૌરના આભૂષણોની લીલામી તાજેતરમાં લંડનમા યોજાઈ ગઈ. તેમના રત્નજડિત સોનાના હારના 62 500 પાઉન્ડ એટલેકે અંદાજે 62 લાખ રૂપિયા ઉપજ્યાં હતા.
આ ઉપરાંત 19 મી સદીની અન્ય દુર્લભ કલાકૃતિઓ ની પણ લીલામી કરાઈ હતી.જેમાં વોટર કલર સાથેનું સુવર્ણ મંદિર ,અમૃતસર શહેર ,રાજા શેરસિંહનું ચિત્ર ,સહિતની વસ્તુઓની ઉંચી કિંમત ઉપજી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(10:56 am IST)