એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 30th July 2020

અમે કોઈ ઘૂસણખોરી કરી નથી : કાલાપાની ,લિપુલેખ ,અને લિમ્પિયાધુરા નેપાળના જ વિસ્તારો છે : નેપાળની ચોરી ઉપર સિનાજોરી

કાઠમંડુ : કાલાપાની ,લિપુલેખ ,અને લિમ્પિયાધુરા નેપાળના જ વિસ્તારો છે જ્યાં અમારા સૈન્કો મુકવામાં આવ્યા છે.અમે કોઈ ઘૂસણખોરી કરી નથી.તેવું નિવેદન નેપાળ સરકારે કર્યું છે.

ઉપરોક્ત 3 વિસ્તારો સહીત કુલ 395 કિલોમીટર જેટલો વિસ્તાર નેપાળે પોતાના નવા નકશામાં સમાવિષ્ટ કરી દેતા ભારતે નોંધાવેલા વિરોધના જવાબમાં નેપાળ સરકારે આ વિસ્તારમાં પોતાનો કબ્જો હોવાનું રટણ દોહરાવ્યું છે.
જેના જવાબમાં ભારતે જણાવ્યું છે કે કોઈ જાતના આધાર વિના નેપાળે પોતાનો નવો નકશો તૈયાર કરી લીધો છે.જે કોઈપણ રીતે વ્યાજબી નથી.

(11:34 am IST)