અમેરિકા મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે ગયેલા SGVP ગુરુકુલના સંતોનું એરપોર્ટ પર સ્વાગત
અમદાવાદ તા.૨ અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહ સીટી ખાતે, વીસ એકરમાં પાણીના વિશાળ સરોવર સહિત પચાસ એકરમાં પથરાયેલ શ્રી સ્વામિનારાયણ ગુુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે સાથે હિન્દુ ધર્મની તમામ ધારાઓના સમન્વય કરતા દેવોના વિવિધ સ્વરુપો પધરાવવામાં આવેલ.
જેમાં મુખ્ય સિંહાસનમાં ભગવાન શ્રી સ્વામિનાારાયણ, બાજુમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રીનાથજી ભગવાન, શિવપાર્વતી, શ્રીઅંબામા, ઉમૈયામા, ગણપતિજી, હનુમાનજી, સૂ્ર્યનારાયણ દેવ વગેરે દેવો પધરાવી વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
પ્રતિષ્ઠા પ્રસંગે સહાયક તરીકે ગયેલ SGVP ગુરુકુલના સંતોમાંથી શ્રી ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, કૃષ્ણજીવનદાસજી સ્વામી, વેદાન્તસ્વરુપદાસજી સ્વામી અને કુંજવિહારીદાસજી ચાર સંતો પરત આવતા એરપોર્ટ ઉપર સંતો અને વિદ્યાર્થીઓને ભાવભીનું સ્વાગત કર્યુ હતુ.