શારજાહથી લખનૌ જઈ રહેલા વિમાનમાં ભારતીય યાત્રીનું હાર્ટ એટેકથી મોત : વિમાનનું પાકિસ્તાનમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું
કરાચી : ઈન્ડિગો ફ્લાઈટનું વિમાન નંબર 6E1412 શારજાહથી લખનૌ જઈ રહ્યું હતું ત્યારે તેમાં બેઠેલા એક ભારતીયને અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું છે.જેના પરિણામે વિમાનને પાકિસ્તાનના કરાંચીમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
એક પેસેન્જરને અચાનક હાર્ટ એટેક આવી જતા વિમાન ચાલકે કરાચી એરપોર્ટના સંચાલકો પાસે ઇમર્જન્સી લેન્ડિંગ માટે મંજૂરી માંગી હતી.જે આપવામાં આવી હતી. જોકે વિમાન લેન્ડિંગ કરે ત્યાર પહેલા જ યાત્રિકનું વિમાનમાં જ મોત થયું હતું. તેવું કરાચી એરપોર્ટ દ્વારા જણાવાયું હતું.
એરપોર્ટ ઉપર તહેનાતમાં રખાયેલ મેડિકલ ટિમ દ્વારા પેસેન્જરને ચેક કરી મૃતક જાહેર કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે વિમાન પહેલા અમદાવાદ જવાનું હતું ત્યાર પછી લખનૌ જવાનું હતું.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.