એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 25th June 2020

કોરોના મુક્ત તાઇવાનના દરવાજા હજુ પણ પ્રવાસીઓ માટે બંધ રહેશે : ફરીથી કોરોના ફેલાવાના ડરને ધ્યાને લઇ સરકારનો નિર્ણય

તાઇવાન : કોરોના કહેરથી મુક્ત થઇ ગયેલા તાઇવાને હજુ પણ પ્રવાસીઓ માટે દેશના દરવાજા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.સરકારે જણાવ્યા મુજબ પ્રવીસીઓના આગમનથી કોરોનનો બીજો રાઉન્ડ આવી શકવાનો ભય છે.જોકે કુશળ કર્મચારીઓ તેમજ તજજ્ઞો માટે પ્રવેશ આપવાની જોગવાઈ ચાલુ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાઈવાનમાં કુલ 352 લોકો કોરોના સંક્રમિત હતા. જે પૈકી  એકપણ મોત નોંધાયું નથી.

(1:13 pm IST)