એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 1st April 2020

યુ.કે.ગયેલા ભારતીય તબીબો માટે રાહતના સમાચાર : વર્તમાન કોરોના વાઇરસના હાહાકારને કારણે " વર્ક વિઝા " એક વર્ષ માટે લંબાવી દેવાયા

લંડન : વર્ક વિઝા મેળવી યુ.કે.ગયેલા ભારતીય સહીત વિદેશોના તબીબોના વર્ક વિઝાની મુદત એક વર્ષ માટે લંબાવી દેવાનો સરકારે નિર્ણય કર્યો છે.જે મુજબ જેઓના વર્ક વિઝાની મુદત ઓક્ટોબર માસમાં પુરી થાય છે તેઓને એક વર્ષ વધુ રહેવા તથા કામ કરવા મળશે
વર્તમાન વિશ્વ વ્યાપ્ત કોરોના વાઇરસના કારણે યુ.કે. સરકાર દ્વારા ઉપરોક્ત નિર્ણય લેવાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:08 pm IST)