એન. આર. આઈ. સમાચાર
News of Friday, 1st January 2021

ભારત અને બ્રિટન વચ્ચે 8 જાન્યુઆરી 2021 થી વિમાની સેવા શરૂ કરાશે : 23 જાન્યુઆરી 2021 સુધી પ્રતિબંધ દૂર કરાયો

ન્યુદિલ્હી : બ્રિટનમાં જોવા મળેલા કોરોના વાઇરસના બીજા સ્ટેપને કારણે ભારત સરકારે 31 ડિસેમ્બર 2020 સુધી બ્રિટન આવતી જતી તમામ ફ્લાઇટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.

અને હવે તાજેતરમાં ભારત સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ  8 જાન્યુઆરી 2021 થી ફ્લાઇટ સેવા ફરીથી શરૂ કરાશે .જે મુજબ સપ્તાહમાં 15 ફ્લાઈટનું ઉડાન કરાશે.જે 23 જાન્યુઆરી 2021 સુધી ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર 2020 સુધી મુકાયેલો પ્રતિબંધ 7 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે તથા 8 જાન્યુઆરીથી ઉડાન શરૂ થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:32 pm IST)