એન. આર. આઈ. સમાચાર
News of Friday, 1st January 2021

પાકિસ્તાનની જેલમાં 270 માછીમારો સહીત 319 ભારતીય કેદીઓ બંધ : ભારતની જેલમાં પાકિસ્તાનના 77 માછીમારો સહીત 340 કેદીઓ : બંને દેશ વચ્ચે થયેલી સમજૂતી અંતર્ગત દૂતાવાસોને માહિતી અપાઈ

ઇસ્લામાબાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે 2008 ની સાલમાં થયેલી સમજૂતી અનુસાર પોતપોતાના દેશમાં બંધ કેદીઓની યાદીની દર વર્ષે આપલે કરવામાં આવે છે.

જે મુજબ આજરોજ જાહેર કરાયેલી યાદી મુજબ પાકિસ્તાનની જેલમાં 270 માછીમારો સહીત 319 ભારતીય કેદીઓ બંધ છે.જયારે ભારતની જેલમાં પાકિસ્તાનના 77 માછીમારો સહીત 340 કેદીઓ બંધ છે.

ઉપરોક્ત યાદી પાકિસ્તાન ખાતેના ભારતીય દૂતાવાસ તથા ભારત ખાતેના પાકિસ્તાની દૂતાવાસને સોંપવામાં આવી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:18 pm IST)