એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 31st December 2020

અમેરિકાની વિસ્કોસીન યુનિવર્સીટીમાં શ્રી અનંતનાથ ચેર ફોર જૈન સ્ટડીઝ શરૂ કરાઈ : જૈન ધર્મના સિદ્ધાંતોનો વ્યાપ વધારવાનો હેતુ

મેડિસન : અમેરિકાની વિસ્કોસીન યુનિવર્સીટી મેડિસિનમાં  શ્રી અનંતનાથ ચેર ફોર જૈન સ્ટડીઝ શરૂ કરાઈ છે. સાઉથ ઇસ્ટ એશિયાના જુદા જુદા ધર્મોની ચેર ધરાવતી વિસ્કોસીન યુનિવર્સીટીમાં જૈન દાતાઓના સહયોગથી ઉપરોક્ત ચેર શરૂ કરવામાં આવી છે.જેનો હેતુ જૈન સિદ્ધાંતોનો વ્યાપ વધારવાનો છે. આ ચેર 21 ડિસેમ્બર 2020 ના રોજ વર્ચ્યુઅલ પ્રોગ્રામ દ્વારા શરૂ કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:43 pm IST)