Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભારતીયોને માલદીવ્‍સ ટાપુઓ ઉપર વર્ક વીઝા નહીં અપાતા હોવાની વાતને રદિયોઃ દેશના નિયમો મુજબ લાયક ગણાય તેવા તમામ ભારતીયોને વર્ક પરમીટ અપાય છેઃ માલદીવ્‍સ ઇમીગ્રેશન કન્‍ટ્રોલર મોહમદ અનવરની સ્‍પષ્‍ટતા

માલદીવ્‍સઃ માલદીવ્‍સ ટાપુઓ ઉપર ભારતીયોને સ્‍થાયી થવા માટે વર્ક વીઝા મળતા નથી તેવા અહેવાલને માલદીવ્‍સ ઇમીગ્રેશન ડીપાર્ટમેન્‍ટએ રદિયો આપ્‍યો છે.

ઇમીગ્રેશન કન્‍ટ્રોલર મોહમદ અનવરએ જણાવ્‍યું હતું કે તેમનું ડીપાર્ટમેન્‍ટ બરાબર કામગીરી બજાવે છે દેશના નિયમો મુજબ લાયક ગણાય તેવા કોઇપણ ભારતીયોને વર્ક પરમીટ આપવાનો ઇન્‍કાર કરાતો નથી

અમુક મિડીયા દ્વારા ભારતીયો પ્રત્‍યે રખાતા પક્ષપાત તથા તેમને વર્ક પરમીટ નહીં આપવાની અથવા રીન્‍યુ નહીં કરવાના સમાચારોને ધ્‍યાને લઇ ઇમીગ્રેશન કન્‍ટ્રોલર દ્વારા ઉપરોક્‍ત સ્‍પષ્‍ટતા કરાઇ હતી.

(11:12 pm IST)