Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

૩ દાયકા પૂર્વે કાશ્મીરમાંથી હકાલપટ્ટી કરાયેલા પંડિતોને ફરીથી વસવાટની તક આપોઃ ૩૭૦મી કલમ દૂર કરાયા બાદ યુ.એસ.સ્થિત કાશ્મીરી એશોશિએનની ભારત સરકાર સમક્ષ માંગણી

મેરીલેન્ડઃ યુ.એસ.સ્થિત ''કાશ્મીરી ઓવરસીઝ એશોશિએશન (KOA)''ની એક મીટીંગ તાજેતરમાં વોશીંગ્ટન ડી.સી.ના મેરીલેન્ડમાં મળી હતી. જયાં સહુએ કાશ્મીરમાંથી ૩ દાયકા પૂર્વે હકાલપટ્ટી કરાયેલા પંડિતોને ફરીથી વસવાટ કરવાના આયોજનની માંગણી કરી હતી.

પંડિતોના જણાવ્યા મુજબ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર થતા તેઓ માટે હવે ફરીથી વતનમાં સ્થાયી થવાની તક મળી છે. જેથી હવે કાશ્મીરમાં સશકિતકરણ,વિકાસ, તથા સુરક્ષાના વાતાવરણનું સર્જન થાય તેવી માંગણી કરાઇ છે.

(7:47 pm IST)