Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી નરેન્દ્રભાઈ/રવુભાઇ જે.પટેલના ધર્મપત્ની શ્રીમતી જ્યોતિબેન એન.પટેલનું 26 જુલાઈ 2018 ના રોજ દુઃખદ અવસાન: 28 જુલાઈ ના રોજ સ્મશાનયાત્રા યોજાઈ: 4 ઓગ 2018 શનિવારનારોજ પ્રાર્થનાસભા/ બેસણું: પટેલ પ્રગતિ મંડળએ પાઠવેલી શ્રદ્ધાંજલિ

દિપ્તીબેન જાની દ્વારા: ન્યુજર્સી: સખેદ જણાવવાનું કે યુ.એસ.માં  ન્યુજર્સી સ્થિત શ્રી નરેન્દ્રભાઈ /રવુભાઇ જે.પટેલના ધર્મપત્ની શ્રીમતી જ્યોતિબેન એન.પટેલનું 26 જુલાઈ 2018 નારોજ  69 વર્ષની વયે  દુઃખદ અવસાન થયું છે.સદ્દગતની સ્મશાનયાત્રા 28 જુલાઈ 2018 ના રોજ યોજાઈ હતી.પ્રાર્થનાસભા/ બેસણું 4 ઓગ.2018 ના રોજ શનિવારે  બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન 12,પેમ્બ્રુક એવન્યુ, નોર્થ બ્રન્સવિક,ન્યુજર્સી મુકામે રાખેલ છે.

 તેઓ ખરોડ મહેસાણાના વતની હતા.તથા 1975 ની સાલથી યુ.એસ.એ.માં સ્થાયી થયા હતા.તથા 1985 ની સાલમાં શ્રી નરેન્દ્રભાઈ/રવુભાઇ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા.તથા અનેક કુટુંબીઓને અમેરિકામાં સ્થાયી થવામાં મદદરૂપ થયા હતા.જેઓ 2007 ની સાલથી યુ.એસ.એ.માં સ્થાયી થઇ ગયા છે.

 વિશેષ માહિતી માટે શ્રી હિતેષભાઇ જે.પટેલ 732-789-6199 અથવા શ્રી જયંતીભાઈ જે.પટેલનો કોન્ટેક નં 732-599-4364 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

 પટેલ પ્રગતિ મંડળ વતી પ્રેસિડન્ટ શ્રી વીરુભાઈ પટેલ તથા એકઝીકયુટીવ કમિટીએ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે.તથા સદગતના પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું છે.તેવું પટેલ પ્રગતિ મંડળની યાદી જણાવે છે.

(12:51 pm IST)