Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ચીને ભારત ઉપર કરેલો હુમલો અયોગ્ય : બંને દેશો વચ્ચે મંત્રણાઓ દ્વારા પ્રશ્ન હલ થઇ શકે : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરા

વોશિંગટન : ભારતની લડાખ સરહદ ઉપર ચીને કરેલો હુમલો અયોગ્ય છે.આ હુમલાથી ભારતના 20 સૈનિકો શાહિદ થયા છે.બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ મંત્રના યોગ્ય રસ્તો છે.હિંસાથી પ્રશ્નનો નિકાલ નહીં આવે તેવું મંતવ્ય તાજેતરમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાએ વ્યક્ત કર્યું છે.

ડો.બેરાનું આ મંતવ્ય એવા સમયે આવ્યું છે.જયારે બંને દેશોના સૈનિકો સરહદ ઉપર તહેનાત છે.જોકે મંત્રણા ચાલુ છે.તેમછતાં ચીને કરેલો હુમલો અયોગ્ય છે.તેવું તેમણે જણાવ્યું હતું.

(1:01 pm IST)