Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પાકિસ્તાન સરકારને ડહાપણની દાઢ ફૂટી : ભારતના શીખ શ્રદ્ધાળુઓ માટે વગર વિઝાએ એન્ટ્રી અપાશે : કતારપુર કોરિડોર મામલે 59 પાનાંનો પ્રસ્તાવ મોકલ્યો

ઇસ્લામાબાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે કડીરૂપ ગણાતા કતારપુર કોરિડોર માટેની શરતો રજૂ કરતો 59 પાનાંનો પ્રસ્તાવ પાકિસ્તાન સરકારે મોકલી દીધો છે.જેમાંની એક શરત મુજબ પાકિસ્તાનમાં આવેલા શીખ શ્રદ્ધાળુઓના ધાર્મિક સ્થાન ની મુલાકાત લેવા માટે તેઓને વગર વિઝાએ એન્ટ્રી અપાશે ઉપરાંત બંને દેશની બોર્ડર ઉપર સિક્યુરિટી તથા ચેકપોસ્ટની વ્યવસ્થા કરવાની રહેશે સહિતની 14 શરતોનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)