Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

દરિયામાં ખાબકેલા ઇન્ડોનેશિઆના વિમાનના પાઇલોટ ભવ્ય સુનેજાનું કરૂણ મોતઃ ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી

જાકાર્તાઃ ઇન્ડોનેશિયાના લોયન એરનું વિમાન જે.ટી.૬૧૦ આજરોજ ઉડાન ભર્યાની ૧૩ મિનીટમાં જ દરિયામાં ખાબકતા તેના પાઇલોટ ભારતીય મૂળના ૩૧ વર્ષીય ભવ્ય સુનેજાનું કરૂણ મોત નિપજ્યુ હોવાનું ભારતીય દૂતાવાસે જાહેર કર્યુ  છે. તથા અકસ્માતથી મૃત્યુ પામેલા યાત્રિકો માટે દુઃખ વ્યકત કર્યુ છે.

સ્વ ભવ્ય સનેજાએ દિલ્હીની મયુર વિહારની એલ્કોન પબ્લીક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તથા ૨૦૧૧ની સાલથી તેઓ ઇન્ડોનેશિઆની લોયન એરમાં સેવાઓ આપતા હતા. તથા જાકાર્તામાં સ્થાયી થયા હતા.

(8:10 pm IST)