Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

" ઓનલાઇન સત્સંગ લાભ " : અધિક માસ નિમિત્તે SGVP ગુરુકુળના ઉપક્રમે કરાયેલું આયોજન : પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના મધુર કંઠે દૈનંદિન શ્રીમદ સત્સંગી જીવન કથાનો લ્હાવો

કેનેડા : પરમ પવિત્ર અધિક માસ નિમિત્તે SGVP ગુરુકુળ અમદાવાદના  ઉપક્રમે શ્રીમદ સત્સંગી જીવન કથાનું આયોજન કરાયું છે. 18 સપ્ટે.થી શરૂ કરાયેલી કથા સમગ્ર પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ ચાલશે. આ ઓનલાઇન કથા દ્વારા દૈનંદિન સત્સંગનો લાભ મળશે.જે અંતર્ગત પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના મધુર કંઠે શ્રીમદ સત્સંગી જીવન કથાનો લ્હાવો લેવા ભાવિકોને અનુરોધ કરાયો છે.તેવું  SGVP ગુરુકુળ  કેનેડા દ્વારા જાણવા મળે છે.

(2:06 pm IST)