Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ભારત સાથે યુધ્ધની વાત કરવી પાકિસ્તાન માટે હાસ્યાસ્પદ છે : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાનો સપાટો : ખોટા અને નફરત ભરેલા નિવેદનો ઉપર લગામ મુકવાનો ઇમરાનખાનને અનુરોધ કર્યો

કેલિફોર્નિયા : કેલિફોર્નિયામાં ભારતવંશીઓના કાર્યક્રમમાં ઉદબોધન કરતાં  ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાએ જણાવ્યું હતું કે કે, ભારત સાથે યુધ્ધની વાત કરવી પાકિસ્તાન માટે હાસ્યાસ્પદ છે  ખોટા અને  નફરત ભરેલા નિવેદનો ઉપર લગામ મુકવાનો તેમણે ઇમરાનખાનને અનુરોધ કર્યો હતો. શ્રી ખન્નાએ ઉમેર્યું હતું કે ભારતીય લોકતંત્રમાં કાશ્મીરનું મહત્વનું સ્થાન છે. જેથી ઈમરાન ખાન નિવેદનોમાં ગુસ્સાને ઠંડો કરે અને કોઈ વિવાદ અથવા યુદ્ધની સ્થિતીને પ્રોત્સાહિત કરે. ઉપરાંત કાર્યક્રમમાં હાજર કાશ્મીરી મૂળના લોકોએ ગરીબી અને આતંકવાદનું લોકતાંત્રિક રીતે સમાધાન લાવવા અંગે ભારત સરકારની પ્રશંસા કરી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:03 pm IST)