Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

વિદેશોમાં વસતા મલયાલી પ્રજાજનો વતનના અસરગ્રસ્‍તો માટે ૧ માસનો પગાર ડોનેશન પેટે આપેઃ કેરળના ચિફ મિનીસ્‍ટર પિનારાઇ વિજયનએ ફેસબુક દ્વારા કરેલી અપીલ

ન્‍યુ દિલ્‍હી : કેરળમાં પાણીના પૂરએ મચાવેલા હાહાકારથી સેંકડો લોકોના મોત થયા છે તથા બહુ મોટી રકમની માલહાનિ થઇ છે. આ સંજોગોમાં કેરળના અર્થતંત્રને ફરીથી બેઠું કરવા વિદેશોમાં વસતા કેરલના મલયાલી પ્રજાજનોને મદદરૂપ થવા ચિફ મિનીસ્‍ટર પિનારાઇ વિજયનએ અપીલ કરી છે.

ફેસ બુક દ્વારા કરાયેલી વિનંતી અંતર્ગત તેમણે વતનના અસરગ્રસ્‍તો માટે ૧ માસનો પગાર ડોનેશન પેટે આપવા વિનંતી કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:12 pm IST)